Gujarat Header Slider Top Stories

શ્રીભાગવત વિદ્યાપીઠ ૪૨મા પાટોત્સવ પર્વની આધ્યાત્મિક અને બૌદ્ધિક ભવ્યતા સાથે ઊજવણી કરવા તત્પર છે

અમદાવાદ, ૨૫ ફેબ્રુઆરી ૨૫: શ્રી ભાગવત વિદ્યાપીઠ, સનાતન ધર્મ, આધ્યાત્મિક જ્ઞાન અને નિઃસ્વાર્થ સેવા માટેનું આદરણીય કેન્દ્ર, તેના ૪૨મા પાટોત્સવ પર્વને અપ્રતિમ ભક્તિ અને જ્ઞાન સાથે ઉજવવા માટે થનગની રહ્યું છે. વાર્ષિક પુનઃ અભિષેક સમારોહને ચિહ્નિત કરતી ભવ્ય ઊજવણી, ૨૮મી ફેબ્રુઆરીથી ૬ઠ્ઠી માર્ચ, ૨૦૨૫ દરમિયાન, શ્રી ભાગવત વિદ્યાપીઠ, કૃષ્ણધામ, સોલા, અમદાવાદ ખાતે યોજાશે. પાટોત્સવ પર્વનું નેતૃત્વ શ્રી ભાગવત વિદ્યાપીઠના પાંચમી પેઢીનાં મૂલ્યવાન ધ્યેયો તરફ આગળ ધપવા પ્રેરણા અર્પનાર શ્રીઅનંતકૃષ્ણ શાસ્ત્રીજી છે, કે જેઓ શ્રીભાગવત ઋષિ શાસ્ત્રીના સુપુત્ર છે, ને જેમણે પોતાનું જીવન હિન્દુ શાસ્ત્રોના ઉપદેશોના સંરક્ષણ અને પ્રચાર માટે સમર્પિત કર્યું છે.

અઠવાડિયા સુધી ચાલનારા પાટોત્સવ પર્વમાં ભક્તોને વિવિધ ધાર્મિક વિધિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા એક તલ્લીન બનવાનો આધ્યાત્મિક અનુભવ મળશે. વૈદિક ધાર્મિક વિધિઓ અને યજ્ઞોને દરરોજ યોજવામાં આવશે, જે સમૃદ્ધિ અને સુખાકારી માટે દૈવી આશીર્વાદનો આહ્વાન કરશે. સત્સંગ અને ભજન સંધ્યા મંદિર પરિસરને ભક્તિમય સંગીતથી તન્મય કરી દેશે જેનાંથી શાંત અને ઉત્કૃષ્ટ વાતાવરણ પ્રોત્સાહિત બનશે. ઊજવણીની મુખ્ય વિશેષતા શ્રીભાગવત વિદ્યાપીઠમાં “ઉત્સવ ઓટલો” ખાતે ધર્મ, સાહિત્ય અને વિજ્ઞાન પર ત્રણ દિવસીય વ્યાખ્યાનની શ્રેણી હશે.

આ શ્રેણીની શરૂઆત શ્રીઅનંતકૃષ્ણ શાસ્ત્રીજી ૨૮મી ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ “KRISHNA ~ THE MANAGEMENT GURU” શીર્ષકવાળા સત્રથી શરૂ થશે. આ ચર્ચામાં આધુનિક વ્યવસ્થાપન અને નેતૃત્વના પાયા તરીકે ભગવાન શ્રીકૃષ્ણના વ્યૂહાત્મક શાણપણનું અન્વેષણ કરવામાં આવશે. આમાં પી.સી. સ્નેહલ ગ્રુપ, પ્રોસ્પેરો, હોરાઇઝનના એમડી શ્રીચિરંજીવ પટેલ અને વિચારક અને ભૂતપૂર્વ આરજે શ્રી ધ્વનિત ઠાકરની વિશેષ ઉપસ્થિતિ રહેશે.

૧લી માર્ચ, ૨૦૨૫ ના રોજ, બીજા સત્ર, “હિન્દુ ધર્મમાં વિજ્ઞાન” નું નેતૃત્વ શ્રીઅનંતકૃષ્ણ શાસ્ત્રીજી કરશે, અને એન.એફ.એસ.યુ., ગાંધીનગરના પ્રોફેસર ડૉ. હરેશ બારોટ ની વિશેષ ઉપસ્થિતિ રહેશે, જેમાં હિન્દુ શાસ્ત્રોમાં સમાવિષ્ટ વૈજ્ઞાનિક સિદ્ધાંતોનું વિશ્લેષણ કરવામાં આવશે અને આજના વૈજ્ઞાનિક વિશ્વમાં તેમની સુસંગતતા પર ચર્ચા કરવામાં આવશે.

આ શ્રેણી બીજી માર્ચ, ૨૦૨૫ ના રોજ શ્રીઅનંતકૃષ્ણ શાસ્ત્રીજી “સુંદરકાંડમાં વ્યૂહરચના” સત્ર સાથે સમાપ્ત કરશે, જેમાં ગુજરાત સાહિત્ય અકાદમીના મહાપાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. પંકજ રાવલની વિશેષ ઉપસ્થિતિ રહેશે. આ ચર્ચા સુંદરકાંડના વ્યૂહાત્મક પાઠો પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમાં ભગવાન હનુમાનની યાત્રામાં દર્શાવ્યા મુજબ નેતૃત્વ, સ્થિરતા અને સમસ્યાના ઉકેલ પર ભાર મૂકવામાં આવશે. આ વર્ષના પાટોત્સવ પર્વના મહત્ત્વ વિશે બોલતા શ્રીઅનંતકૃષ્ણ શાસ્ત્રીજીએ પોતાના વિચારો આ પ્રમાણે રજૂ કર્યા હતા, “આપણી પરંપરાઓ અને શાસ્ત્રો અસીમ જ્ઞાન પ્રદાન કરે છે જે આજના ઝડપી ગતિશીલ વિશ્વમાં પણ સુસંગત રહે છે.

આ પવિત્ર મેળાવડા દ્વારા, અમારો ઉદ્દેશ્ય આપણા પૂર્વજોના દૈવી ઉપદેશોને આધુનિક જીવનની વાસ્તવિકતાઓ સાથે જોડવાનો છે. પાટોત્સવ એ માત્ર એક ધાર્મિક પ્રસંગ જ નથી; પરંતુ એવા તમામ લોકો માટે તે એક એવી આધ્યાત્મિક જાગૃતિ છે કે જે શાંતિ, જ્ઞાન અને ભક્તિની શોધ કરે છે”. શ્રી ભાગવત વિદ્યાપીઠની શરૂઆત વિશ્વવંદ્ય શ્રીકૃષ્ણશંકર શાસ્ત્રીજી દ્વારા કરવામાં આવી હતી, કે જેમણે “સનાતન ધર્મ” નો પ્રચાર-પ્રસાર કર્યો હતો, જેને આજે હિંદુઓ દ્વારા અનેક પ્રવચનો દ્વારા અનુસરવામાં આવે છે.

આ “કનેક્ટીંગ ધ લાઈન” (પેઢી પછી પેઢી) પેઢીઓથી પેઢીઓ દ્વારા ચાલુ રાખવામાં આવી રહી છે, કે જે સંદેશને આજના પરિપ્રેક્ષ્યમાં ચાલુ રાખવામાં આવ્યો છે. તેમના પ્રપૌત્ર ભગવતઋષિ (મુખ્ય ટ્રસ્ટી) એ પણ આ જ વલણ ચાલુ રાખ્યું છે. આજે, આનંદ કૃષ્ણ શાસ્ત્રીએ, પાંચમી વંશાવલિ તરીકે “માનવો” ને “માનવતા”નો સંદેશ ફેલાવવાનું ચાલુ રાખ્યું છે.

જેમ જેમ સમય ઝડપથી પસાર થતો જાય છે તેમ તેમ, એક પછી એક મંડળો આ પરોપકારી સેવા દ્વારા આશીર્વાદ મેળવતા રહ્યા છે જે સદાકાળ ચાલુ રહેશે. મંદિર પ્રબંધન તમામ ભક્તો, વિદ્વાનો અને આધ્યાત્મિક સાધકોને આ પવિત્ર અવસરમાં ભાગ લેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવે છે. અનંત શાણપણને સમકાલીન સમજણ સાથે સંકલિત કરીને શ્રી ભાગવત વિદ્યાપીઠ સનાતન ધર્મની જાળવણી અને વૈશ્વિક આધ્યાત્મિક સમુદાયને પ્રોત્સાહન આપવા બાબતેના તેના કર્તવ્ય માટે પ્રતિબદ્ધ છે.

દૈવી ઉપદેશો સાથે તેમના જોડાણને મજબૂત બનાવવાની સાથોસાથ આ પાટોત્સવનો પર્વ ભક્તો માટે આધ્યાત્મિકતા, જ્ઞાન અને સાંસ્કૃતિક સમૃદ્ધિમાં લીન થવા માટેની એક અમૂલ્ય તક છે.

Leave a Reply

Your email address will not be published.